AUTHORS
CATEGORIES
LANGUAGES
BOOK TYPE
PRICE

INR 1,200.00

કેટલાક અપરાધભાવ કે આભાર સમયાંતરે વ્યક્ત થઈ જવા જોઈએ નહીંતર કાળની થપાટે તમારી સાથે રાત દિવસ ધબકતી વ્યક્તિના શ્વાસ અટકી જાય એ પછીની ક્ષણોમાં માત્ર પારાવાર પસ્તાવો જ રહે છે ! જો મને મોકો મળ્યો હોત તો....જો એ સમયે મને ખબર હોત તો....આ ‘જો’ અને ‘તો’, આ બે શબ્દો વચ્ચેની જગ્યામાં કંઈ કેટલુંય રહી જાય છે અને સમયાંતરે થીજી જાય છે ! કોઈપણ બાબતનો સ્વીકાર કરવો, કંઈક કન્ફેસ કરવું એ અઘરું છે પણ અશક્ય તો નથી જ. આપણી ભૂલોને સ્વીકારવી કે બીજાની ભૂલોને જતાવવી આ બંનેમાં ફરક છે જે અનુભવનો જ વિષય છે. કોઈના માટે ફરિયાદ હોવી એમાં કંઈ જ ખોટું નથી જ કેમકે સંબંધોમાં ફરિયાદો બંધ થાય એ પછી ધરબાયેલી અનેક સમસ્યાઓ ફૂંફાડો મારીને ઉભી થઈ જતી હોય છે. કંપેનીયનશીપ અને કોમ્પ્રોમાઈઝમાં એટલો જ ફરક હોય છે કે એકમાં દરેક સ્થિતિ-પરિસ્થિતિએ ફરિયાદ કે રાજીપો વ્યક્ત કરવાની સ્પેસ હોય છે અને બીજામાં દરેક બાબતે એવો સ્વીકાર હોય છે કે માણસ સમય જીવે છે કે કાપે છે એ ખબર નથી પડતી.

આ પુસ્તકમાં 26 પત્રો છે, કહો કે 26 કથાઓ છે. 26 પત્રવાર્તાઓ છે ! જેના કિરદારો હું પણ છું અને તમે પણ છો, એક રીતે આપણે બધા જ છીએ. આપણી આસપાસ ધબકતા સંબંધો છે. આ પત્રોની ‘પારકી’ વાતો વાંચતા જશો એમ એ ‘પોતાની’ વધારે લાગશે. આ પત્રો એ ટકોર છે, આપણા જીવાતા જીવનનો અરીસો છે અને ક્યાંક તમને વાત નહીં કરી શકતા તમારા જ કોઈ સંબંધનો ગળગળો અવાજ છે. આ પત્રો થકી સંબંધોની આસપાસ મૂંઝારાની, ફરીયાદની કે સંકોચની જે ધૂળ બાઝી ગઈ છે એ દૂર થાય ને બે મન એકબીજાની સાથે મોકળાશથી વ્યક્ત થઈ શકે તો એ આ પુસ્તકનું સૌભાગ્ય ગણાશે. આવો, હું તમને આપણી વાતો વાંચવા માટે નિમંત્રણ પાઠવું છું !

- રામ મોરી

INR 200.00

INR 50.00

INR 20.00

INR 200.00

INR 100.00