Navajivanno Akshardeh-One Year Subscription (નવજીવનનો અક્ષરદેહ-એક વર્ષનું લવાજમ)

Author(s): Edited work
Book Weight: 200.00 (Gram)
Category: Magazine
ISBN(13): 7891234560001
Price:

About The Book

‘નવજીવનનો અક્ષરદેહ’ શા માટે?: નવજીવન સાથે સંકળાયેલી વ્યક્તિઓ તરફથી ઘણી વખત એક સૂચન કરવામાં આવતું કે નવજીવનનાં પ્રકાશનોની માહિતી નિયમિત મળી રહે એવી કોઈ વ્યવસ્થા ન ગોઠવી શકાય! સાથે સાથે નવજીવનમાં ચાલતા વિવિધ પ્રોજેક્ટની માહિતી પણ શા માટે લોકો સુધી ન પહોંચાડવી? આ વાતને લઈને આ સામયિકનો વિચાર સ્ફુર્યો. નવજીવનનાં પ્રકાશનોની માહિતી ઉપરાંત અન્ય પ્રકાશકો દ્વારા પ્રકાશિત થતાં અને ગાંધીવિચારને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે સ્પર્શતાં પુસ્તકોનો પરિચય, ગાંધીજીનાં લખાણોમાંથી સાંપ્રત ઘટનાઓમાં માર્ગદર્શક લખાણો, નવજીવનની આગામી પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત જાણકારી... આ સામયિકમાં આપવી એવું નક્કી કર્યું છે. દર મહિને ચાલતી નવજીવનની પ્રકાશકીય ગતિવિધિઓથી અન્ય પ્રકાશકો તથા ગાંધીવિચારને વરેલા લોકો વાકેફ રહે ને ગાંધીવિચારને વધુ વેગ મળે એ જ આ મૅગેઝિનનો મુખ્ય ધ્યેય છે. આ પેજ પરથી ‘નવજીવનનો અક્ષરદેહ’નું એક વર્ષનું લવાજમ ભરીને સભ્ય બનો.