Calcuttano Chamatkar (કલકત્તાનો ચમત્કાર)

Author(s): Manubahen Gandhi
Book Weight: 150.00 (Gram)
Category: True Accounts
ISBN(13): 9788172299323
Price:

About The Book

ગાંધીજીના જીવનના છેલ્લા દાયકામાં મોટા ભાગના સમયે શ્રી મનુબહેન જ એમની જોડે હતાં. તેમણે આ સમયની રોજનીશી રાખી છે. એમના શિક્ષણના ભાગ તરીકે, ગાંધીજી તેમની પાસે એ લખાવતા અને રોજ પોતે તે જોઈ લેતા અને નીચે સહી કરતા. એમ આ ડાયરી તે વખતના ગાંધીજીના કામકાજની, દિનચર્યાની તથા એમના મનોમંથનની વિરલ નોંધરૂપ ગણાય. આ પુસ્તકમાં તા. ૧–૮–’૪૭ થી ૭–૯–’૪૭ સુધીની ડાયરી આવે છે. નોઆખલીથી ગાંધીજી કાશ્મીર ગયા. ત્યાંથી પાછું તેમને નોઆખલી જવાનું હતું. એટલે તે કાશ્મીરથી ત્યાં જવા નીકળ્યા. આ ચોપડીનો હેવાલ ત્યાંથી શરૂ થાય છે. કલકત્તા પહોંચતાં ત્યાંની સ્થિતિ જોઈ ત્યાં રોકાવાનું થયું, નોઆખલી જવાનું બંધ રહ્યું. સુખશાંતિ અને સમૃદ્ધિની ચાવી કોમી એકતામાં જ રહેલી છે. એ ચાવી હાથ કરવાનો મંત્ર શીખવતી ગાંધીજીની જીવનયાત્રાનું વર્ણન આ ડાયરીમાં આવે છે. તે ચિરકાળ મનનીય નીવડશે એવી આશાથી તે પુસ્તક રૂપે પ્રગટ કર્યું છે.